Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

દામોદરકુંડ સફાઇ, રેલ્વે, ટા્રફિકના પ્રશ્નો ઉકેલીશુ, ભ્રષ્ટાચાર મુકત શાસન આપીશુ : ધીરૂભાઇ ગોહેલ

જુનાગઢ કોર્પોરેશનના મેયરપદના દાવેદારની પત્રકારો સાથે વાતચીત

જુનાગઢ તા ૨૩ :  કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે મેયર પદના દાવેદાર  ધીરૂભાઇ ગોહેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ભ્રષ્ટાચાર મુકત શાસન આપીશું.

 ધીરૂભાઇ ગોહેલે વધુમાં જણાવ્યું કે, દામોદર કુંડ સફાઇ, રેલ્વે  ટા્રફિક સહિતના પ્રશ્નો ઉકેલીશું.

આ તકે ધીરૂભાઇ ગોહેલે વધુમાં જણાવ્યું કે પાર્ટી નક્કી કરશે મેયર કોને બનાવવા, પરંતુ લોકોના સુખાકારી માટે અમે સત્તત તત્પર રહીશું.

(1:14 pm IST)