Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ખંભાળીયા - દાહોદ રૂટની પૂરપાટ જતી બસની હડફેટે પતિ-પત્નિના કરૂણ મૃત્યુ : અરેરાટી

રાજકોટઃ અમદાવાદ-રાજકોટ હાઇવે પર અકસ્માતોની વણથંભી વણજાર યથાવત છે. ત્યારે ગઈકાલે સાંજે લીંબડી સાયલા હાઇવે નજીક અકસ્માત સર્જાતા પતિ-પત્નીના ઘટના સ્થળ પર મોત થયા હતા.

ગઈકાલે ખંભાળિયા-દાહોદ રૂટની બસ પુરપાટે આવી રહી હતી ત્યારે બસ ચાલકે વસ્તી ડીના પાટિયા નજીક એક બાઇકને હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલક અને સાથે સવારી કરનાર મહિલાનું મોત થયું હતું.

અકસ્માત થતા જ એમ્બુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ એસ.ટી.નો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો જયારે મુસાફરોને અન્ય બસમાં બેસાડવાની ફરજ પડી હતી.

વસ્ત ડીના પાટિયા નજીક પતિ-પત્નીના અકસ્માતે મોત થતા પરિવારમાં શોકનો માહોલ પ્રસરાઈ ગયો હતો.

(1:12 pm IST)