Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

જામનગરના રાજેન્દ્રએ બળાત્કાર ગુજારતાં યુવતિને ગર્ભ પણ રહી ગયો'તોઃ દવા આપી પડાવી નાંખ્યો'તો

ફેસબૂક ફ્રેન્ડને લગ્નની લાલચ આપી હવસખોરી આચરનાર વિરૂધ્ધ રાજકોટ એ-ડિવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયોઃ આરોપીને શોધવા પોલીસની દોડધામ

રાજકોટ તા. ૬: જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતાં રાજેન્દ્ર મંગાભાઇ પરમાર વિરૂધ્ધ રાજકોટ એ-ડિવીઝન પોલીસ મથકમાં બળાત્કારનો ગુનો નોંધાયો છે. પોલીસે ભોગ બનનાર યુવતિની ફરિયાદ પરથી આઇપીસી ૩૭૬ (૨) એન મુજબ ગુનો નોંધ્યો છે. આ યુવાને રાજકોટની જુદી જુદી હોટેલમાં યુવતિ સાથે દૂષ્કર્મ આચર્યાનો આરોપ મુકાયો છે. બળાત્કારને કારણે યુવતિને એક વખત ગર્ભ પણ રહી ગયો હતો. જે તેણે દવા આપીને પડાવી પણ નાંખ્યો હતો.

ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યું છે કે ફેસબૂક ફ્રેન્ડની રિકવેસ્ટ મોકલી રાજેન્દ્રએ મિત્રતા કેળવી હતી. એ પછી પોતે પરિક્ષા માટે રાજકોટ આવતાં તે સાથે આવ્યો હતો અને લગ્નની લાલચ આપી એક હોટેલમાં લઇ જઇ શરીર સંબંધ બાંધ્યો હતો. આ રીતે રાજકોટની અન્ય બે હોટેલમાં પણ તે લઇ ગયો હતો. આજથી થોડા મહિના પહેલા તેણીને ગર્ભ રહી જતાં રાજેન્દ્રને વાત કરતાં તેણે જો ઘરમાં ખબર પડશે તો લગ્ન નહિ થવા દે તેમ કહી ગોળી આપી ગર્ભ પડાવી નાંખ્યો હતો. પરંતુ હવે તે લગ્ન કરવાની ના પાડતો હોઇ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું.

જામનગર સીટી સી ડિવીઝનના વી. કે. વણઝારીયાએ આ ગુનો દાખલ કરી રાજકોટ એ-ડિવીઝન પોલીસને મોકલતાં પીએસઆઇ એસ. એચ. નિમાવતે તપાસ શરૂ કરી છે.

(1:07 pm IST)