Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મ્યુ. કોર્પોરેશન દ્વારા ચંદ્રશેખર આઝાદની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તા. ર૩ જુલાઇના રોજ ચંદ્રશેખર આઝાદની ૧૧૩મી જન્મજયંતિ નિમિત્તે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઇ રાડીયા, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા, ડ્રેનેજ કમિટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ નં. ૧૦ના મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, આસિસ્ટન્ટ મેનેજર અમિતભાઇ ચોલેરા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:03 pm IST)