Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

બાવાજી યુવકની હત્યાના ગુનામાં આરોપીને જામીન પર છોડવા હુકમ

રાજકોટ તા ૨૩  :  કારખાનેદારની યુવતી ઉપરના દુષ્કર્મના મામલે બાવાજી યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીને જામીનપર છોડવાનો સેશન્સ અદાલતે હુકમ કર્યો હતો.

કેસની હકીકત જોઇએ તો ગુજરનાર દીવ્યેશ તુલસીદાસ ગોંડલીયાએ કારખાનેદાર ચંદ્રેશભાઇની સગીરપુત્રીની સાથે મિત્રતા કરી ચોટીલા ફરવા લઇ જઇ દુષ્કર્મ આચરતા તે સબંધેનું મનદુખ રાખી ચંદ્રેશભાઇના મીત્ર રમણીકભાઇ મારકણાએ ગુજરનારને કારખાને બોલાવી અંને ઉપરાંત ત્રીજા માણસે મળી ઢીકાપાટુનો તથા પ્લાસ્ટીકના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી ગાળી આપી પાછળથી બે અજાણ્યા ઇસમોએ ફરીયાદીને મુંઢમાર મારતા ગુજરનારને હોસ્પીટલે દાખલ કરતા સારવાર દરમ્યાન ગુજરી જતા તે અન્વયેની ફરીયાદ સારવાર દરમ્યાન ગુજરનારે આજીડેમ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને આરોપીઓ (૧) ચંદ્રેશભાઇ કેશવજીભાઇ ગજેરા, (ર) રમણીક વીઠલભાઇ મારકણા, (૩) પીળા શર્ર્ટવાળો દાઢી વાળો, (૪) અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ આપેલ, બાદ સારવાર દરમિયાન ગુજરી ગયેલ.

ઉપરોકત  ગુન્હાના કામે અજાણ્યા ઇસમ પૈકી અરજદાર રાજેશ ઉર્ફે લાલો બાબુભાઇ સરધારાએ જામીન પર મુકત થવા રાજકોટના સેશન્સ જજની કોર્ટમાં એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજી કરી હતી.

બંને પક્ષની રજુઆતો, રેકર્ડ પરની હકીકતો તેમજ પોલીસ પેપર્સ લક્ષે લેતા તેમજ અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીની સમગ્ર હકીકતો લક્ષે લેતા, અરજદારનું એફ.આઇ.આર.માં નામ નથી, ગુજરનારનું મૃત્યુ ઇન્જરી અને તેના કોમ્પલીકેશનના કારણે થયેલનું એ રીતે સમગ્ર હકીકતો લક્ષે લેતા અરજદારની તરફેણમાં અંગત સતા વાપરવાનો મુનાસીફ માની અરજદારને જામીનપર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

 ઉપરોકત કામમાં આરોપી રાજેશ સરધારા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રોકાયેલ હતા.

(3:38 pm IST)