Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

રાજકોટના ધરમનગરના કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ 5 વ્યક્તિને સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઈન હેઠળ રખાયા

શહેરમાં કુલ 86 પૈકી 76 કોરોના પોઝિટિવ દર્દી સાજા થયા: 8 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ : રાજકોટના ધરમનગરના કોરોના પોઝિટિવ આવેલ દર્દીના સંપર્કમાં આવેલ 5 વ્યક્તિને સમરસ હોસ્ટેલમાં કોરોનટાઇન હેઠળ રાખવામાં આવેલ છે

 ધરમનગર શેરી નં. ૧, ગાંધીગ્રામમાં રહેતા અરવિંદભાઈ દેવરાજભાઈ જેઠવા (ઉ. વર્ષ : ૬૦)ને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે.
 આજે નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીનાં સંપર્કમાં આવેલ પાંચ જણાને સમરસ હોસ્ટેલ માં ફેરવેલ છે.આ ફેમિલી છેલ્લા દસ દિવસથી અમદાવાદ થી આવેલ છે
રાજકોટમાં  કુલ કેસ  ૮૬ પૈકી 76 ડિસ્ચાર્જ અને 2 મૃત્યા થયા છે. હાલ હોસ્પિટલમાં દાખલ  ૮ દર્દીઓ સારવાર હેઠળ છે.

(9:16 pm IST)