Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જાદવપુર યૂનિવર્સિટીના નવા વિદ્યાર્થીઓએ લખીને આપવું પડશે કે તેઓ પરિસરમા શરાબનું સેવન નહીં કરે

         જાદવપુર વિશ્વ વિદ્યાલયના એક અધિકારીએે બતાવ્યુ છે કે આ શૈક્ષણિક સત્રમાં દાખલ થનારા નવા વિદ્યાર્થીઓએ એક ઘોષણાપત્ર પર સહી કરવાની રહેશે કે તે પરિસરમાં નશીલા પદાર્થોનું સેવન નહી કરે અને શરાબ નહી પીવે.

જો કે ઘોષણાપત્રનું ઉલ્લંઘન કરવાવાળા વિદ્યાર્થીઓ માટેની સજા હજુ નકકી થયેલ નથી.

પરિસરમાં અમુક વિદ્યાર્થીઓ શરાબ અને નશીલા પદાર્થોનું સેવન કરતા મળ્યા હતા ત્યારપછી આ આદેશ જારી કરવામાં આવેલ.

(11:59 pm IST)