Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ગુજરાતની જનતાએ હંમેશા 'વિકાસની રાજનીતી'માં ભરોસો મુકયો છે : જુનાગઢની જીતને વધાવતા નરેન્દ્રભાઇ મોદી

રાજકોટ  : ગુજરાતમાં યોજાયેલ જુનાગઢ મહાનગરપાલીકાની સામાન્ય ચુંટણી તથા અન્ય જીલ્લા/તાલુકા પંચાયતોની યોજાયેલ પેટા ચુંટણીમાં પ્રજાએ સર્વત્ર ભાજપના ઉમેદવારો પર પોતાના આશીર્વાદ વર્ષાવ્યા છે. ગુજરાતની જનતાએ હંમેશા '' વિકાસની રાજનીતિ''માં ભરોસો મુકયો છે. સૌને ખુબ ખુબ અભિનંદન અને આભાર તેમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું.

(4:32 pm IST)