Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

પ્રશાંત મહાસાગર સ્થિત ફિજી દ્વીપે પોતાને કોરોનાથી મુક્ત જાહેર કર્યો

ફિજીમાં કોવિડ-19થી કોઈ મૃત્યુ થયું નથી.રિકવરી રેટ 100 ટકા

નવી દિલ્હી : ફિજીના વડા પ્રધાન ફ્રૅન્ક બૅનીમારામાએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.એમણે લખ્યું, "ફિજીનો અંતિમ દર્દી પણ સાજો થઈ ગયો છે.અમારે ત્યાં કોરોના સંક્રમણના પરીક્ષણની સંખ્યા રોજેરોજ વધી રહી છે. આ 45મો દિવસ છે જ્યારે કોઈ પણ નવો કેસ સામે આવ્યો નથી. ફિજીમાં કોવિડ-19થી કોઈ મૃત્યુ થયું નથી. અમારો રિકવરી રૅટ સો ટકા છે."

તેમણે એમ પણ લખ્યું કે 'બધી દુઆ કબૂલ થઈ. આકરી મહેનત અને વિજ્ઞાન પર વિશ્વાસ રાખીને અમે આ સિદ્ધ કરી શક્યા.'

પ્રશાંત મહાસાગરમાં આવેલા ફિજીમાં વાઇરસનો પહેલો કેસ માર્ચ મહિનાના મધ્યમાં નોંધાયો હતો.

(10:45 am IST)