Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અયોધ્યામાં રામ મંદિર ભૂમિનું પુજન થતાં રામાયણ શોમાં હનુમાનજી બનતા વિક્રમે ૧૦૮ દિવા પ્રગટાવી ૧૦૮ વાર હનુમાન ચાલીસા બોલી

મુંબઇઃ આજે અયોધ્યામાં રામ મંદિર ભૂમિનું પૂજન થતાં ઠેર-ઠેર રામ નામનો જય જયકાર થયો છે. આ સમયે આનંદ સાગરના ટીવી શો રામાયણમાં હનુમાનજીનું પાત્ર ભજવતા અભિનેતા વિક્રમ મત્સલે પોતાના ગામ મધ્યપ્રદેશના સલ્કનપુર ખાતે ૧૦૮ દિવડા પ્રગટાવી રામ નામ, ઓમ અને સાથીયાની રચના કરી હતી. તેમજ ૧૦૮ વખત હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતાં. વિક્રમે કહ્યું હતું કે હું બાળપણથી જ ભગવાન રામ અને હનુમાનજીથી મંત્રમુગ્ધ છું. મારું સપનું ત્યારે સાકાર થયું હતું જ્યારે મને હનુમાનજીનો રોલ નિભાવવા મળ્યો હતો.  મેં આજે રામ મંદિર ભૂમિ પૂજન વખતે ૧૦૮ દિવડા પ્રગટાવ્યા છે, કારણ કે તે શુભ ગણાય છે. આનંદ સાગરનો રામાયણ શો દગલ ચેનલ પર દરરોજ સાંજે સાડા સાતે અને બીજા દિવસે સવારે સાડા નવે પ્રસારીત થાય છે.

(3:41 pm IST)