Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ખેડાના હરીયાળામાં આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો: નાણાં ન મળતા પુત્રએ પિતાનું ઢીમ ઢાળ્યું

નડિયાદ:ખેડાના હરીયાળા ગામે થયેલ આધેડની હત્યાના પ્રકરણનો ભેદ ઉકેલાયો છે. વંેચી દિધેલી  જમીનના નાણાં નહી મળતા પુત્રએજ પોતાના પિતાની હત્યા કરી હોવાનું પર્દાફાશ થયો છે. ફરિયાદી પોતેજ ગુનેગાર નીકળતા પોલીસ પણ ખુદ ચોંકી ઉઠી છે. પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

બનાવમાં મળતી વિગતો અનુસાર ખેડા તાલુકાના હરીયાળા ગામે રહેતા પરબતસિંહ વનુભા વાઘેલા (ઉં..૬૬)નો  ગત્ તા.૧૨મી જુલાઈના રોજ ગામ નજીકના તેમના ખેતરના શેઢા ઉપરથી  મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. આથી ખેડા ટાઉન પોલીસે મરનાર પરબતસિંહના પુત્ર ઘનશ્યામની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો

(5:46 pm IST)