News of Saturday, 6th June 2020
અમદાવાદ,તા.૫ : રાજ્ય સરકાર દ્રારા હવે ૬ વર્ષ પૂર્ણ કરેલા બાળકોને જ ધોરણ–૧માં પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ નર્સરી, જુનિયર કે.જી. અને સીનિયર કે.જીમાં ભણતા વિધાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય ૨૦૨૩–૨૪ના શૈક્ષણિક સત્રથી અમલી બનશે. હાલ ત્રણ વર્ષ સુધી ૫ વર્ષ સુધીના બાળકોને પ્રવેશ અપાશે અને ત્યાર પછીના વર્ષથી ૬ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા વિધાર્થીઓને જ ધોરણ–૧માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્રારા કાયદામાં કરવામાં આવેલા ફેરફાર મુજબ હવે કોઈ પણ બાળક જે તે શૈક્ષણિક વર્ષમાં ૧ જૂનના રોજ ૬ વર્ષ પૂર્ણ ન થયું હોય તેવા બાળકોને ધોરણ–૧માં પ્રવેશ આપવામાં નહીં આવે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૦–૨૧, ૨૦૨૧–૨૨, અને ૨૦૨૨–૨૩ દરમિયાન કોઈ બાળક તે શૈક્ષણિક વર્ષમાં ૧ જૂનના રોજ ૫ વર્ષ પૂર્ણ કરેલા હશે તો તેમને ધોરણ–૧માં પ્રવેશ આપવામાં આવશે. આમ હાલમાં નર્સરી અને જુનિયર–સીનિયર કે.જીમાં ભણતા બાળકોને મુશ્કેલી ન થાય તે માટે સરકારના નવા નિયમનો અમલ ૨૦૨૩–૨૪થી કરવામાં આવશે.
સરકાર દ્રારા નવા નિયમો અંગે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. હવે જે વાલીઓ તેમના બાળકોને પ્રિ–પ્રાયમરીમાં પ્રવેશ અપાવે ત્યારે બાળકની ઉંમરને ધ્યાનમાં લઈ બાળક ૬ વર્ષનું થાય ત્યારે તેને ધોરણ–૧માં આવે તે પ્રકારનું આયોજન કરે તે માટેની સૂચના આપવામાં આવી છે. ૨૦૨૩–૨૪થી યારે આ નિયમો અમલી બનશે તેના માટે વાલીઓએ અત્યારથી જ પ્રિ–પ્રાયમરીમાં પ્રવેશ વખતે બાળકોની ઉંમરને ધ્યાનમાં રાખવાની રહેશે. અત્યારે ધોરણ–૧માં પ્રવેશ માટેની ઉંમર ૫ વર્ષ નક્કી કરવામાં આવેલી છે. બાળકની ઉંમર ૧ જૂનના રોજ ૫ વર્ષ પૂર્ણ થયેલી હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે. જોકે, રાઈટ ટુ એયુકેશન એકટ અંતર્ગત ૬થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ છે. ત્યારે રાયમાં ઉંમરને લઈને પ્રશ્નો ઉભા થતા રાય સરકાર દ્રારા ધોરણ–૧માં પ્રવેશ માટેની લાયકાતમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.