Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા વિરમગામમાં મહા આરતીનો કાર્યક્રમ યોજાયો

સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાં પાસે ભગવા ધ્વજ સાથે દીપ પ્રગટાવામાં આવ્યા

 

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનના વધામણા કરવા અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા વિરમગામમાં મહા આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાં પાસે ભગવા ધ્વજ સાથે દીપ પ્રગટાવામાં આવ્યા હતા.

  કાર્યક્રમમાં અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ગુજરાત પ્રદેશના પ્રભારી. ભરતભાઈ બી ઠાકોર, ઉપપ્રમુખ સતીષ બી ઠાકોર, યુવા પ્રમુખ અમિતભાઈ શાહ, વિરમગામ ટીમના ચેતન કંસારા શહેર પ્રમુખ, નરેશદાન ગઢવી પ્રમુખ વિરમગામ તાલુકા,ગોપાલ ઠાકર પ્રભારી વિરમગામ અને મનીષ મહેતા, ડો.મહેન્દ્ર ભાઇ જાદવ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:36 pm IST)