Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રામ મંદિર શિલાન્યાસ અને ભૂમિપૂજનની ઉજવણી અંતર્ગત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે 1100 દીવડાઓ પ્રગટાવ્યા

મહામંત્રી ભુખુભાઇ દલસાણીયા,પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ,પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિતના આગેવાનો ઉપસ્થિત

અમદાવાદ : શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે યોજાયેલ શ્રી રામ મંદિર શિલાન્યાસ અને ભૂમિપૂજનની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે 1100 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ  જીતુ વાઘાણી,પ્રદેશ ઉપાધ્યક્ષ  ગોરધન ઝડફિયા, પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી, પ્રદેશ અગ્રણી મહેશ કસવાલા, આઈ.ટી.-સોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ પંકજ શુક્લ અને પ્રદેશ મીડિયા વિભાગના ઇન્ચાર્જ પ્રશાંત વાળા પણ ઉપસ્થિત રહ્યા.

(9:44 pm IST)