Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કપાસિયા તેલનું રાહતભાવે વિતરણઃ જયેશ રાદડિયા

સરકારે વિનામૂલ્યે વિતરણની કોઇ જાહેરાત કરી નથી

રાજકોટ તા. પ : રાજયના નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશ રાદડિયાએ આજે જણાવેલ કે તહેવારો નિમિતે ગરીબ રેશનકાર્ડ ધારકોને રૂ. પ૦ ના લીટર લેખે કપાસિયા તેલનું વિતરણ કરવામાં આવશે. સરકારે વિનામૂલ્યે વિતરણની કોઇ જાહેરાત કરી નથી. રેશનકાર્ડ ધારકોને કપાસિયા તેલ રાહતભાવે મળી શકશે. વિનામૂલ્યે વિતરણની વાત કોઇ ગેરસમજણ હોય શકે.

(3:44 pm IST)