Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વાંકાનેર પાલિકા પેટા ચૂંટણીઃ ભાજપના અનસોયાબા તથા એનસીપીના રાજયશ્રીબેને ઉમેદવારી નોંધાવી

 વાંકાનેર તા. ૧૬: વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉષાબેન કે. સોમાણીનુ થોડા સમય પહેલા અવસાન થતા, વોર્ડ નં.૬ની સ્ત્રી અનામત બેઠકની એક સીટ માટે ગઇ તા. ૭ના રોજ નગર પાલિકાની આ પેટા ચુંટણીનું  જાહેરનામુ નાયબ કલેકટર અને ચુંટણી અધિકારી વસવાએ પ્રસિધ્ધ કરેલ. જે ચુંટણીમાં ભાજપના અનસોયાબા ઇન્દુભા જાડેજા તથા એનસીપીના કોરડીયા રાજશ્રીબેન દેવજીભાઇએ ઉમેદવારી નોંધાવતા ભાજપ અને એનસીપી વચ્ચે આ ચુંટણી જંગ ખેલાશે.

પ્રથમ બન્ને પક્ષોએ સમજુતી માટેના પ્રયાસો કરેલ પરંતુ એ પ્રયાસો નિષ્ફળ જતા વોર્ડ નં.૬ની પેટા ચુંટણીનુ મતદાન આગામી તા. ૨૭ના રોજ સવારે ૮ થી સાંજના પ વાગ્યા સુધી થશે. જાણકાર વર્તુળો એવુ જણાવે છે કે ભાજપના મોરબી જીલ્લાના ઉપપ્રમુખ ઇન્દુભાના ધર્મપત્નિ અનસોયાબા ચુંટણી મેદાનમાં હોઇ સામા પક્ષે એનસીપીના હાલના કાઉન્સીલર તેમજ વોર્ડના અમૃતલાલ ઠાકરાણીના નેજા હેઠળ ચુંટણી લડાઇ રહી છે ત્યારે ભાજપ માટે કઠીન સ્થિતિ જોવા મળે છે.

(1:00 pm IST)