Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

એસ.ટી.ડ્રાઇવરની પ્રમાણીકતાઃ મુસાફરનો મોબાઇલ પરત કર્યો

 નવાગઢ તા.૧૬ : એસ.ટી અમારી સલામત સવારી જ નહી પરંતુ એસટીના ડ્રાઇવરની પ્રમાણીકતાના કારણે મુસાફરનો મોંઘોદાટ ભૂલાઇ ગયેલ પણ સહી સલામત પરત અપાવી ડ્રાઇવરએ ગુજરાત વાહન વ્યવહાર નિગમની શાન વધાવી હતી.

જેતપુર જલારામ મંદિરના પ્રમુખ વિજયભાઇ જીવરાજાની ગત રોજ કોઇ કામ સબબ કેશોદ બારડોલી રૂટની બસમાં બેસી રાજકોટ આવ્યા હતા. બહુ ઓછી બસમાં મુસાફરી કરતા જીવરાજાની પોતાનો મોબાઇલ બસમાં મૂકી રાજકોટ ઉતરી ગયા હતા ને બાદમાં યાદ આવતા હાફળા ફાંફળા બન્યા હતા પરંતુ ત્યારે એક બસના ડ્રાઇવર એસ.એમ.કારડીયાએ આ મુસાફરની વેદના પારખી તેને મદદરૂપ થઇ જે બસમાં મોબાઇલ ભૂલાઇ ગયો તે બસનો કોન્ટેક કરી મોબાઇલ પરત મંગાવી વિજયભાઇને પરત સોંપી ત્યાં સુધી પોતાનો કિંમતી સમય ફાળવ્યો હતો. શ્રી કારડીયાની આ પ્રમાણીકતાને કાયમ સરળતાને સહજતાથી રહેતા જલારામ મંદિરના પ્રમુખ વિજયભાઇએ બિરદાવી હતી.

 

(1:00 pm IST)