Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વંથલી ગુરૂકુળ મંદિરમાં શાકોત્સવ યોજાયો - હજારો હરિભકતોએ પ્રસાદ લીધો

 માણાવદર : વંથલી ગુરૂકુળ મંદિરે હર વર્ષની જેમ જ ભગવાન સ્વામીનારાયણનો ઐતિહાસિક ભવ્ય શાકોત્સવ યોજાયો હતો. જેમાં વંથલી ગુરૂકુલના સંત દેવપ્રસાદજી સ્વામીએ ભકતજનોને અમૃતવાણી સાથે તમામ હરિભકતોને આશિર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગુરૂકુળના સ્કુલના વિદ્યાર્થીઓએ ભકિત સાથે ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ભકતજનોને મત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રેમસ્વરૂપ સ્વામીએ કર્યુ હતુ. શ્રી દેવપ્રસાદજી ગુરૂ જોગીસ્વામીજીનું પ્રવચન મનનીય રહ્યુ હતુ.

(12:53 pm IST)