Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

આટકોટમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તરફથી જરૂરિયાત મંદ લોકોને કીટ વિતરણ

જસદણ તા. ૧૦: લોકોને હાલ ઘરોમાં જ રહેવાનું હોય જરૂરિયાત મંદ ગરીબો ભૂખ્યા ન રહે માટે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પોતાના ખર્ચે આટકોટના કૈંલાસનગર વિસ્તારમાં આગેવાનોને સૂચના આપી અનાજની કીટ વિતરણ કરવા સૂચના આપી જરૂરિયાત મંદ ગરીબ લોકોને કીટ પહોંચાડી હતી.

આ અનાજ કીટ વિતરણમાં ગ્રામ પંચાયત સરપંચના પ્રતિનિધિ દેવસીભાઈ ખોખરીયા, ભાજપના બાબુભાઇ રોજાસરા, અલ્લાઉદીન ફોગ, હીરેભાઇ પંચોલી, ગાંડુભાઇ ઝાપડીયા, મંત્રીના પી એ ચમનભાઈ સહિતના આગેવાનો જોડાયા હતા. આ અનાજ કીટ વિતરણ થી જરૂરિયાત મંદ લોકો માં ખુશીની લાગણી છવાઈ જવા પામી હતી તેમ અલાઉદીનભાઈ ફોગની યાદી જણાવે છે.

(11:58 am IST)