Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

વરસાદ અને પવનને કારણે ડેલો પડતા લાઠોદ્રાના આધેડ શ્રમિકનું મૃત્યુ

માળીયાહાટીના તાલુકામાં અરેરાટી

જૂનાગઢ, તા. ૩ :. વરસાદ અને પવનને કારણે ડેલો પડતા માળીયાના લાઠોદ્રા ગામે આધેડ શ્રમિકનું મૃત્યુ થતા અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઈ હતી.

ગઈકાલે માળીયાહાટીના વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ ખાબકયો હતો.

ત્યારે માળીયા તાલુકાના લાઠોદ્રા ગામના ભીખાભાઈ નારણભાઈ ડાકી (ઉ.વ. ૫૦) નામના આધેડ મજુરી કામેથી પોતાના ઘરે જતા હતા.

ભારે પવન સાથે વરસાદ આવતો હોય જેના કારણે રાજપુત સમાજની વાડીનો ડેલો ભીખાભાઈ ઉપર પડતા તેનુ શરીરે ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યુ હતું.

આ અંગે ધોરણસરની કાર્યવાહી કરી એએસઆઈ વાય.એન. વાળાએ આગળની તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)