Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

બેકારીથી કંટાળી જૂનાગઢના ખડિયાના યુવાનનો આપઘાત

છત સાથે ઓઢણી વડે લટકીને મોતને મીઠું કર્યું

 જુનાગઢ તા. ૩: બેકારીથી કંટાળી જુનાગઢનાં ખડિયાનાં યુવાને આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

જુનાગઢ તાલુકાનાં ખડિયા ગામે પાણીનાં ટાંકા પાસે કૃષ્ણનગરમાં રહેતો અશોક રણછોડભાઇ સોલંકી (ઉ.વ. ૩પ) નામનો યુવાન છેલ્લા થોડા સમયથી બેરોજગાર હોય અને તેને કોઇ કામ ધંધો મળતો ન હતો. બેકારીને લઇ અશોકભાઇ ટેન્શનમાં રહેતા હતા. ગઇકાલે સાંજે લાગી આવતાં તેમણે પોતાના મકાનની છતના હુકમાં ઓઢણી વડે લટકીને ગળાફાંસો ખાયને મોતને મીઠું કરી લીધું હતું.

આ અંગે મૃતક-યુવકનાં પિતા રણછોડભાઇ કાનજી સોલંકીએ જાણ કરતાં તાલુકા પોલીસે દોડી જઇ મૃતદેહને પી.એમ. માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હતી.

(11:31 am IST)