Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

'સંજીવની રથ'ના તબીબી સ્ટાફ દ્વારા મેયર પ્રદિપ ડવના સ્વાસ્થ્યની તપાસ

રાજકોટ : મેયર ડો. પ્રદિપ ડવને કોરોના પોઝિટીવ નિદાન થતા તેઓ હોમ આઇસોલેટ થયા હતા દરમ્યાન આજે રાજકોટ મહાનગરપાલિકાના સંજીવની રથના મેડીકલ સ્ટાફ દ્વારા મેયરશ્રીની મુલાકાત કરવામાં આવી હતી. સ્ટાફ દ્વારા મેયરશ્રીનું ઓકિસજન લેવલ ચેક કરવા ઉપરાંત તેમના સ્વાસ્થ્ય સંબંધી પૃચ્છા કરવામાં આવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે સંજીવની રથ દ્વારા આ પ્રકારે દરેક હોમ આઇસોલેશન હેઠળ રહેલા કોરોના દર્દીઓના ઘેર વિઝિટ કરી તેમના સ્વાસ્થ્યનું ફોલોઅપ લેવામાં આવે છે.

(3:51 pm IST)