Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

રાજકોટમાં કોૈશિક પટેલ તિરંગો ધ્વજ લહેરાવશે

રાજ્ય કક્ષાનું પ્રજાસતાક પર્વ બનાસકાંઠા જિલ્લામાં :ફળદુ સુરત, સૌરભ પટેલ જામનગર, વિભાવરીબેન અમરેલી જિલ્લામાં

રાજકોટ તા.૧૬: રાજ્ય સરકારે ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસતાક પર્વના ધ્વજવંદન માટે પ્રધાનોને જિલ્લા ફાળવણી કરી છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી બનાસકાંઠાના પાલનપુરમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદન કરાવશે.

જિલ્લામાં કયા તાલુકા કે ગામ મથકે કાર્યક્રમ યોજવો તે સ્થાનિક કક્ષાએ નક્કી થશે.

આર.સી. ફળદુ સુરતમાં, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કચ્છમાં, મહેસુલ મંત્રી કોૈશિક પટેલ રાજકોટમાં, જયેશ રાદડિયા ભાવનગર અને કુંવરજીભાઇ બાવળિયા જૂનાગઢ જિલ્લામાં ધ્વજવંદન કરાવશે. વિભાવરીબેન દવેને અમરેલી જિલ્લો ફાળવાયો છે. નીતિન પટેલ ગાંધીનગરમાં તિરંગો લહેરાવશે. પોરબંદર ગિરસોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા, બોટાદ સહિત ૧૨ જિલ્લાઓમાં કલેકટરના હસ્તે ધ્વજવંદન થશે.

(4:06 pm IST)