Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ઓરબીટ બેરીંગ્ઝ કંપનીએ મુખ્યમંત્રી રાહતનિધીમાં રૂ. ૨૫ લાખ આપ્યા

કોરોનાની મહામારીમાં ઉપયોગમાં લેવા રકમ સમર્પિત

રાજકોટ તા. ૧૦: શહેરની ઓરબીટ બેરીંગ્ઝ પ્રા. લિ. કંપનીએ વિશ્વવ્યાપી કોરોના મહામારી સંદર્ભે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં રૂ. ૨૫ લાખ અર્પણ કરી સેવાનું કાર્ય કર્યુ છે. કંપનીના ચેરમેન નિેશભાઇ પટેલે કહ્યું હતું કે આવા પડકારોની સોૈથી વધુ યાતના સમાજનો વંચીત વર્ગ ભોગવતો હોય છે. આવા સમયે તેમને મદદરૂપ થવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે સમાજના સમર્થ લોકો અને વ્યકિતઓએ આવા કાર્યમાં મદદરૂપ થવું જ જોઇએ. આથી જ અમારા તરફથી સામાજીક ફરજની ભાવના સાથે મુખ્યમંત્રી રાહતનિધીમાં રકમ સમર્પિત કરવામાં આવી છે. તેમણે સરકારના કોરોના સામેના ત્વરીત પગલાઓની પણ પ્રશંસા કરી હતી.

(11:33 am IST)