Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

જમ્યા બાદ ઝાડા-ઉલ્ટી થયાઃ શ્યામનગરના રજપૂત વૃધ્ધ કિશોરભાઇ રાઠોડનું મોત

રાજકોટ તા. ૩: રાજનગર ચોક પાસે શ્યામનગર-૩માં રહેતાં કિશોરભાઇ ઉકાભાઇ રાઠોડ (ઉ.વ.૬૦) નામના રજપૂત વૃધ્ધને પરમ દિવસે બપોરે બે વાગ્યે જમ્યા બાદ ઝાડા ઉલ્ટી થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. આર. જે. વરૂએ જાણ કરતાં માલવીયાનગરના હેડકોન્સ. ડી. જે. જાડેજા અને પ્રશાંતસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કિશોરભાઇ અશોક ગાર્ડન નજીક ફેકટરીમાં નોકરી કરતાં હતાં. તેમને સંતાન નથી. પોતે નાના ભાઇ સાથે રહેતાં હતાં. પરમ દિવસે બપોરે જમ્યા બાદ અચાનક ઝાડા-ઉલ્ટી થઇ જતાં અને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી. ફૂડ પોઇઝનીંગ થયાની શકયતા પરિવારજનોને લાગી હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. વૃધ્ધના ભાઇ તથા ભત્રીજીને પણ ઉલ્ટીઓ થઇ હતી. આ બંનેને સારૂ થઇ ગયું હતું.

મેઘમાયાનગરના લાલાભાઇનું બેભાન હાલતમાં મોત

બીજા બનાવમાં રાજનગર ચોક મેઘમાયાનગરમાં રહેતાં લાલાભાઇ જીતુભાઇ નિશાદ (ઉ.૪૨) સાંજે ચારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં શોક છવાઇ ગયો હતો. મૃતક મુળ યુપીનો વતની હતો અને કારખાનામાં કામ કરતો હતો. તેને લિવરની બિમારી હતી.

(12:47 pm IST)