Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વાઇબ્રન્ટમાં અનિલ અંબાણીનું નામ કેમ નહિ? રૂપાણીએ જવાબ ટાળ્યો

ગાંધીનગર તા.૧૬: ગુજરાત સરકાર આયોજીત વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગપતિઓની યાદીમાં રિલાયન્સના શ્રી અનિલ અંબાણીનું નામ ન દેખાતા આજે પત્રકારોએ આ બાબતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરેલ પરંતુ ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓએ આ પ્રશ્ન પૂછતા મુખ્યમંત્રીએ જવાબ આપવાના બદલે ચાલતા થવાનું પસંદ કર્યુ હતું. રાફેલ વિવાદના કારણે અનિલ અંબાણી વાઇબ્રન્ટના મંચ પર આવવા ન માંગતા હોય તેવું અનુમાન થઇ રહયું છે.

મંચ પર વડાપ્રધાન સાથે મુકેશ અંબાણી સહિત દેશના ટોચના ૧૯ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.

(4:10 pm IST)