Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોના સંકટના સમયમાં લોકોની સેવા કરી રહેલા કર્મચારીઓ સાચા દેશભકતઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી

નવી દિલ્લીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના સંકટના સમયમા લોકોની સેવામા જોડાયેલા આશાકર્મિઓ, નર્સો અને આંગણવાડી કર્મચારીઓની પ્રશંસા કરતાં કહ્યું લોકો સાચા દેશભકત છે.

કોવિડ-૧૯ વિરૂધ્ધ લડાઇમા અમારા કર્મચારી પોતાનો જાન જોખમમાં નાખી સાહસ અને સમર્પણના ભાવથી કામ કરે છે. દુષ્પ્રચાર અને ભય કોરોના વાયરસથી મોટો ખતરો પેદા કરે છે. કાર્મચારીઓ સંકટના સાથી છે. દેશની સેવા માટે દરેક સેવાકર્મીને સલામ કરૂ છું એમના અને એમના પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરૂ છું.

(10:21 pm IST)