Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ચીન કરી રહ્યું છે યુદ્ઘની તૈયારીઃ તિબેટ પાસે રાતના અંધારામાં લડાઈનો કર્યો અભ્યાસ

ચીનના આ યુદ્ઘ અભ્યાસનું લક્ષ્ય દુર્ગમ ક્ષેત્રોમાં લડાઈની ટ્રેનિંગ અને રાતમાં હુમલો કરવા પર જ કેન્દ્રીત હતું

બીજિંગ, તા.૩: ભારત-ચીન સરહદ વિવાદમાં ભલે બંને દેશ વાતચીત અને ડિપ્લોમસી દ્વારા મામલો ઉકેલવાની વાત કરી રહ્યા હોય પરંતુ પડદાની પાછળ બંને સેનાઓએ કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિ માટે તૈયારીઓ કરવાની શરૂ કરી દીધી છે. મળતી જાણકારી મુજબ ચીની સેના ભારત-તિબેટ સરહદની પાસે યુદ્ઘ અભ્યાસ કરી રહી છે. ચીને તિબેટ મિલિટ્રી કમાન્ડ પર માત્ર પહાડો પર લડવા માટે ઉપયોગમાં લેવાતાં હથીયાર મોકલ્યા છે. તેઓએ રાતના સમયે કેવી રીતે યુદ્ઘ લડી શકાય તેનો પણ અભ્યાસ કર્યો છે.

ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ ચીનની ભ્ફૂંષ્ટશ્રફૂલૃસ્ન ન્જ્ઞ્ણુફૂર્શ્વીદ્દજ્ઞ્ંઁ ખ્શ્વૃક્કની તિબેટ કમાન્ડે હાલમાં ઊંચાણવાળા વિસ્તારોમાં અને ખાસ કરીને રાતના સમયે યુદ્ઘ માટેનો અભ્યાસ કર્યો છે. આ યુદ્ઘ અભ્યાસનું લક્ષ્ય દુર્ગમ ક્ષેત્રોમાં લડાઈની ટ્રેનિંગ અને રાતમાં હુમલો કરવા પર જ કેન્રીતનત હતું. આ યુદ્ઘ અભ્યાસ સમુદ્ર તટથી ૪૭૦૦ મીટની ઊંચાઈ પર તિબેટ સરહદની પાસે કરવામાં આવ્યું. રિપોર્ટ મુજબ રાતના એક વાગ્યે સમગ્ર બટાલિયને તિબેટના તંગ્ગુલિયા માઉન્ટેની તરફ નિશાન બનાવીને યુદ્ઘ અભ્યાસ કર્યો. આ દરમિયાન તમામ ગાડીઓએ પોતાની લાઇટો બંધ રાખી અને નાઇટ વિઝન ડિવાઇસની મદદથી યુદ્ઘ લડવાનો અભ્યાસ કર્યો. અંધારામાં યુદ્ઘ લડવાનો સૌથી મોટો ફાયદો માનવામાં આવે છે કે તેમાં ડ્રોન હુમલાથી બચી શકાય છે.

ચાઇનીઝ સેન્ટ્રલ ટીવી એ સોમવારે એક કાર્યક્રમ દરમિયાન આ યુદ્ઘ અભ્યાસની જાણકારી આપી છે. આ અભ્યાસમાં આમને-સામનેની લડાઈ, સ્નાઇપર અટેક, લાઇટ આર્મ્ડ વ્હિકલ અટેક અને એન્ટી ટેન્ક રોકેટ દ્વારા હુમલોનો અભ્યાસ કરવામાં આવ્યો. આ યુદ્ઘ અભ્યાસમાં દુશ્મનને ભાળ ન થાય તે રીતે તેના બેઝ પર પહોંચવું અને તેને નષ્ટ કરવાની ટ્રેનિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ અભ્યાસ દરમિયાન ૨૦૦૦થી વધુ મોર્ટાર, રાઇફલ ગ્રેનેડ, એન્ટી ટેન્ક રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો. આ અભ્યાસ કમાન્ડર ઓફ સ્કાઉટ બટાલિયન મા કિનની દેખરેખમાં કરવામાં આવ્યો. મા કિને જણાવ્યું કે આ અભ્યાસ માત્ર ઓછા ઓકિસજનવાળા વિસ્તારોમાં યુદ્ઘ લડવાની ટેકનીકમાં પારંગત થવાને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો હતો. બીજી તરફ ચીની વિદેશ મંત્રાલયે પણ કહ્યું કે ભારતની સાથે હકારાત્મક વાતચીત ચાલી રહી છે અને સ્થિતિ સામાન્ય છે.

(11:30 am IST)