Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

કોરોનાના દર્દીઓની સુવિધા માટે આર્થિક અનુદાનની સરવાણી વહાવતા સાંસદ રામભાઇ મોકરીયા

રાજકોટ તા. ર૯: માનવ સેવા એ જ પ્રભુ સેવાના સુત્રને જીવનમંત્ર બનાવનાર રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ આ કોરોના મહામારીમાં લોકોને પડખે રહી વિવિધ સંસ્થાઓને આર્થિક અનુદાન આપી કોરોનાના દર્દીઓને સારી સુવિધા આપી શકાય એ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. યુનિવર્સિટી રોડ ઉપર હંગામી ધોરણે ઉભા કરાયેલા રોલેક્ષ એસએનકે કોવીડ સેન્ટર માટે રૂ. એકવીસ લાખનું માતબર અનુદાન આપેલ છે. આ ઉપરાંત પોરબંદરની સામાજીક સંસ્થાઓને રૂ. બે લાખ એકાવન હજારનું અનુદાન અને રાજકોટ મહાનગર પાલીકા અને વિવિધ સંસ્થાઓને રૂ. છ લાખનું અનુદાન આપેલ છે. ઉપરાંત રાજકોટ સિવીલ હોસ્પીટલ, સમરસ હોસ્ટેલ અને પંચનાથ હોસ્પીટલ, રાજગોર બ્રહ્મસમાજ કોવીડ સેન્ટર, અમૃત ઘાયલ કોવીડ સેન્ટર વગેરે કોવીડ હોસ્પીટલોમાં દરરોજ કોરોનાના દર્દીઓ માટે લીલા નાળીયેરનું વિતરણ કરવામાં આવે છે.

(3:16 pm IST)