Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા લેવાશે

૧૫ મી ૨૫ ફેબ્રુઆરી દરમીયાન પરીક્ષા લેવાશે

રાજકોટ,તા.૧૬: ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષની ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષા લેવાનું નકકી થયાનું જાણવા મળે છે. સામાન્ય રીતે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સ્થાનીક કક્ષાએ શાળાઓમાં લેવાતી હતી. આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવાશે. શાળાઓની લેબોરેટરીનો રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાનની પ્રાયોગીક પરીક્ષા લેવાશે. જેનો સત્તાવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થશે.

(4:12 pm IST)