Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રાજ્યમાં કોરોના હાંફ્યો : વધુ 401 દર્દીઓ સ્વસ્થ થયા : નવા 252 પોઝિટિવ કેસ નોંધાયા : આજે વધુ એક દર્દીનું મોત : કુલ મૃત્યુઆંક 4394 થયો : કુલ 2,56,315 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યના 10 જિલ્લામાં એકપણ નહીં : આજે વધુ 51,362 લોકોને રસી અપાઈ : કુલ 5,41,554 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે વડોદરામાં 81 કેસ, અમદાવાદમાં 41 કેસ, સુરતમાં 31 કેસ, રાજકોટમાં 33 કેસ, ગાંધીનગરમાં 8 કેસ, આણંદ, જૂનાગઢ જામનગર અને પાટણમાં 6-6 કેસ, સાબરકાંઠામાં 5 કેસ, ગીર સોમનાથ, કચ્છ અને નર્મદામાં 4-4 કેસ નોંધાયા : હાલમાં રાજ્યમાં 2491 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 252 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 401 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 252 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 401 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,56,315 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી વધુ  1 દર્દીનું મોત થયું છે રાજ્યમાં  મૃત્યુઆંક  4394 છે  રાજ્યમાં રિકવરી રેટ 97, 38 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, જયારે આજે 1207 કેન્દ્રો ઉપર 51,362 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 5,41,554 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

   રાજ્યમાં હાલ  2491 એક્ટિવ કેસ છે. જેમાંથી 26 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 2466 દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યમાં આજે એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે આજે મહીસાગરમાં એક દર્દીનું મોત થયું છે  

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 252 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ વડોદરામાં 81 કેસ, અમદાવાદમાં 41 કેસ, સુરતમાં 31 કેસ, રાજકોટમાં  33 કેસ, ગાંધીનગરમાં 8 કેસ, આણંદ ,જૂનાગઢ જામનગર અને પાટણમાં 6-6 કેસ,સાબરકાંઠામાં 5 કેસ , ગીર સોમનાથ, કચ્છ અને નર્મદામાં 4-4 કેસ નોંધાયા છે

(7:42 pm IST)