Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વડોદરાના પથ્થરગેટ વિસ્તારમાં અગાઉ યુવકે ફાસો ખાઈ આપઘાત કરતા સુસાઇડ નોટના આધારે પતિની સહીત સાળાની ધરપકડ

વડોદરા:શહેરના પથ્થર ગેટ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય રમણભાઇ રાવળ નિવૃત્ત જીવન ગુજારે છે. પોલીસ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તેમના મોટા દીકરા ગોપાલની પત્ની મનિષા છેલ્લા ઘણા વર્ષોથી ઝઘડો કરતી હતી અને મરજી મુજબ પિયર જતી રહેતી હતી. ગોપાલના અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી ઝઘડા કરતી હતી. 

મનીષાના પરિવારજનોની મધ્યસ્થી બાદ સમાધાન થતાં તે પરત આવતી હતી. પરંતુ તેના સ્વભાવમાં કોઈ સુધાર આવ્યો ન હતો. મનીષાનો ભાઈ પણ ગોપાલને હેરાન કરતા  તે માનસિક સ્ટ્રેસ અનુભવતો હતો. ગઇ બીજી ફેબ્રુઆરી ના રોજ ગોપાલે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો અને તેની પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં આત્મહત્યા માટે પત્ની મનિષા અને તેનો ભાઈ ગિરીશ હોવાનું જણાવ્યું છે.  

આમ મનિષા એ ખોટા કેસો કરી માનસિક ત્રાસ આપી ગોપાલ ને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો છે. તેમજ તેના ભાઈ ગિરીશ અને તેની બહેન નિમિષાએ  ગોપાલ વિરુદ્ધ મનીષાને ઉશ્કેરવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે મનીષા રાવળ અને ગિરીશ રાવળ ( બંને રહે- રાજપારડી ગામ , ઝઘડિયા, ભરૂચ) વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ આઈપીસી 306, 507 અને 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:40 pm IST)