Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અમદાવાદ:સારંગપુરમાં અગાઉ છૂટાછેડા લીધેલ પતિથી અલગ રહેતી પત્ની પર જીવલેણ હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના સારંગપુરમાં મફતલાલ મગનલાલની ચાલીમાં રહેતા નાજરીન બાનુ એ શેખ એ પાંચ વર્ષ પહેલા તેમના પતિ પાસેથી છૂટાછેડા લીધેલા છે. હાલમાં તેઓ તેમના દીકરા સાથે સારંગપુરમાં તેમની માતા સાથે રહે છે.

દરમિયાન નાજરીન બાનુ તેમના ઘર પાસે ઉભા હતા ત્યારે તેમની ચાલીમાં રહેતો શાહનવાઝ ઉર્ફે શાહનું સલીમભાઈ મંસૂરી તેમની પાસે આવ્યો હતો. તારા છુટાછેડા થઇ ગયેલ છે તું એકલી છે તો મારી પાસે આવીને રહે એમ કહેતા નાજરીન બાનુ એ ગુસ્સામાં તું અહીંથી જતો રહે નહીં તો પોલીસને બોલાવીશ એમ કેતા શખ્સે ગંદી ગાળો બોલીને તલવાર વડે નાજરીન બાનુના માથામાં હુમલો કરતા તે ગંભીરપણે ઘાયલ થયા હતા.

સારવાર માટે તેમને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે તેમણે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:39 pm IST)