Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ટંકારાના સાવડી ગામે દલીત ખેડુતની હત્યા અંગત અદાવતમાં થયાની શંકા

મૃતકના બે મોબાઇલ ગુમ છે પરંતુ તેના ખિસ્સામાંથી રોકડ રકમ : મળી આવતા લુંટના ઇરાદે હત્યા નહિ થયાનું પોલીસનું તારણ

રાજકોટ, તા., ર૯: ટંકારાના સાવડી ગામે દલીત ખેડુતની નિંદ્રાધીન હાલતમાં હત્યા થયાની ઘટનામાં પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દલીત ખેડુતની લુંટના ઇરાદે નહિ પણ અંગત અદાવતમાં હત્યા થયાના તારણ સાથે પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના સાવડી ગામે વાડીની ઓરડીમાંથી દલીત ખેડુત ઘેલાભાઇ વશરામભાઇ ચૌહાણ (ઉ.વ.૬ર)ની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. ફોરેન્સીક પીએમમાં મૃતક ખેડુતને ગળે ટુંપો દઇ હત્યા થયાનું ખુલતા પોલીસે અજાણ્યા શખ્સોસામે ગુન્હો દાખલ કર્યો હતો.

દરમિયાન મૃતક ખેડુતના ખિસ્સામાંથી બે મોબાઇલ ગૂમ હોય તેની લુંટના ઇરાદે હત્યા થયાની પોલીસને શંકા હતી. પરંતુ મૃતક ખેડુતના ખિસ્સામાંથી ૧૧ હજાર અને ર૭૪૦ની રોકડ રકમ મળી આવતા તેની હત્યા લુંટના ઇરાદે નહિ પણ અંગત અદાવતમાં થયાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતકના પરીવારજનોએ કોઇના પર શંકા વ્યકત કરી નથી. પરંતુ પોલીસે મૃતકને અગાઉ કોઇની સાથે ઝઘડો થયો હતો કે કેમ? તે દિશામાં તપાસ હાથ ધરી છે. વધુ તપાસ ટંકારાના મહિલા પીએસઆઇ બગડા ચલાવી રહયા છે.

(11:50 am IST)