Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

મયુરનગરમાં પત્નિ રિસામણે ગયા બાદ એકલતાથી કંટાળેલા રાજકુમારે જીવ દીધો

મુળ યુપીના યુવાને કારખાનાની ઓરડીમાં ફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ૧૭: સંત કબીર રોડ પર    મયુરનગર મેઇન રોડ પર આવેલા ક્રિષ્ના સિલ્વર નામના કારખાનાની રૂમમાં મુળ યુ.પી.ના રાજકુમાર પુરણદાસ કુશવાહા (ઉ.૨૮) નામના યુવાને દારી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

૧૦૮ના ઇએમટી ધીરૂભાઇ આહિરે બનાવની જાણ કરતાં કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ રાજૂભાઇએ થોરાળા પોલીસને વાકેફ કરતાં એએસઆઇ જે. કે. જાડેજાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રાજકુમાર કારખાનામાં મજૂરી કરતો હતો. તે ચાર ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતો. તેના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. પરંતુ હાલમાં પત્નિ રિસામણે જતી રહી હોઇ એકલતાથી કંટાળી જતાં આ પગલુ ભરી લીધાની શકયતા તેના પરિવારજનોએ જણાવી હતી.

(3:58 pm IST)