Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ગાંધીગ્રામ અંજલી પાર્કમાં કુંભાર પ્રફુલભાઇ લાડવાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી

પત્નિ પુત્રીને કલાસીસમાંથી તેડીને ઘરે આવ્યા ત્યાં પતિ લટકતા મળ્યાઃ બિમારીથી કંટાળીને પગલું ભર્યાનું તારણ

રાજકોટ તા. ૧૭: ગાંધીગ્રામના અંજલી પાર્ક-૨માં રહેતાં સોરઠીયા પ્રજાપતિ કુંભાર પ્રફુલભાઇ કરસનભાઇ લાડવા (ઉ.૪૫)એ પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

સાંજે પ્રફુલભાઇના પત્નિ ઉષાબેન પુત્રીને કલાસીસમાં તેડવા માટે ગયા હતાં. તેઓ પરત ઘરે આવ્યા અને પરત આવ્યા ત્યારે પતિ લટકતા જોવા મળતાં કલ્પાંત સર્જા્યો હતો. પડોશીઓએ ભેગા થઇ પ્રફુલભાઇને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન તેમણે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં એએસઆઇ મહેશભાઇ લુવાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર પ્રફુલભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. તેને સંતાનમાં ૧૭ વર્ષની દિકરી હિરલ અને ૯ વર્ષનો દિકરો રાજુ છે. પ્રફુલભાઇ સુથારી કામની મજૂરી કરતાં હતા. અગાઉ કેટલાક વર્ષ સુધી દુબઇમાં કામ કરતાં હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ કેટલાક સમયથી તે બિમાર રહેતાં હોઇ તેના કારણે કંટાળી જઇ આ પગલું ભરી લીધુ હતું.

(3:57 pm IST)