Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઝારખંડની સભામાં ઓછી હાજરીથી અમિત શાહ ભારે નારાજ થઇ ગયા

૧પ-ર૦ હજારની ભીડથી ભાજપના ધારાસભ્ય બની નહિ શકાય

નવી દિલ્હી તા. ર૯: ઝારખંડ વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબકકાનો ચૂંટણી પ્રચાર ગઇકાલે પુરો થઇ ગયો. સત્તાધારી ભાજપ માટે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જોર શોરથી પ્રચાર કર્યો હતો. અમિત શાહે પ્રથમ તબકકાના ૩૦મીએ થનારા મતદાન માટે પ્રચારના અંતિમ દિવસે ચતરા અને ગઢવામાં બે સભા સંબોધી હતી.

જો કે સભામાં ઓછી ભીડ જોઇને તેઓ નારાજ થઇ ગયા હતા તેમણે મંચ પરથી જ કહ્યું હતું કે, આટલા લોકોથી કામ નહિં ચાલે ૧પ થી ર૦ હજારની ભીડથી ભાજપના ધારાસભ્ય નહિં બને. અમિત શાહે કહ્યું હતું કે, એક એક માણસ પ૦-પ૦ લોકોને ફોન કરે અને ભાજપને મત આપવા આગ્રહ કરે.

તેમણે કહ્યું હતું કે, ભાજપના ઉમેદવારને મત એટલી પીએમ મોદીને મત.

(11:33 am IST)