Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

મુંબઈના ડોંગરી વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી :દુર્ઘટનામાં મૃત્યુઆંક 14એ પહોંચ્યો

એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ અને રાહત કાર્ય હજી પણ ચાલુ

મુંબઈના ડોંગરી વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક 14 થયો છે. તંત્ર દ્વારા આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. અત્યાર સુધી સાતથી વધુ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ અને રાહત કાર્ય હજી પણ શરૂ છે

   આ ઈમરાત 100 વર્ષ જૂની હોવાનું સામે આવ્યુ છે. જે ઈમારત ધરાશાયી થઈ તેની બાજુમાં આવેલી અન્ય એક ઈમારતને પણ ખાલી કરાવવામાં આવી છે.

   સાંકડી ગલીમાં આ ઈમરાત ધરાશાયી થવાના કારણે બચાવ અને રાહત કાર્યમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. દક્ષિણ મુંબઈમાં આવી અનેક જર્જરીત ઈમારત આવેલી છે. જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.

(10:40 am IST)