Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

કાલથી કોંગ્રેસનું જન વેદના આંદોલનનો પ્રારંભ : યુવાઓની સમસ્યા,ખુડૂતોની વેદના અને મોંઘવારીના મુદ્દે રણશિંગુ ફૂંકશે

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રભારી રાજીવ સાતવ ઉપસ્થિત રહેશે.

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ આવતીકાલે જનવેદના આંદોલન શરૂ કરશે. બપોરે બે વાગ્યે અમદાવાદમાં આરટીઓ કચેરીથી આંદોલનનો પ્રારંભ કરશે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રભારી રાજીવ સાતવ ઉપસ્થિત રહેશે.

           યુવાઓની સમસ્યા, ખેડૂતોની વેદના, મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસે જનવેદના નામથી આંદોલન કરીને ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. અશોક ગેહલોત કાસિન્દ્રામાં સત્ય સાંઈ હોસ્પિટલ મુલાકાત પણ લેશે.

(8:37 pm IST)