Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

નડિયાદના પીજ રોડ પર અગમ્ય કારણોસર શિક્ષકે ફાસો ખાઈ જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામ્યો

નડિયાદ: શહેરના પીજ રોડ પર આવેલ સોસાયટીમાં રહેતા શિક્ષકે આજે કોઈ અગમ્ય કારણોસર ગળેે ફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને શિક્ષકે કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

શિક્ષકના પત્ની દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે આપેલ નોધ મુજબ મૃતક ચિરાગ કુમાર પુરસોત્તમભાઇ પટેલ (ઉ. વ. ૪૩) અને તેમની પત્ની મિનાક્ષીબેન બંને ફતેપુરાની રાગરી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. આજરોજ ચિરાગભાઇની તબીયત નાદુરસ્ત હોઇ તેઓએ નોકરી પર રજા મુકી હતી. અને સવારે તેઓ પત્નીને બાઇક પર બેસાડીને નોકરી પર મુકી ઘરે પરત આવી ગયા હતા.

(5:44 pm IST)