Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

સુધીર માંકડ બાદ અનિલ મુકીમઃ કેન્દ્રમાંથી બોલાવીને મુખ્ય સચિવ બનાવ્યાનો બીજો પ્રસંગ

રાજયના નવા વહીવટી વડા કાલે સાંજે કાર્યભાર સંભાળશે

રાજકોટ તા.૨૯: રાજયના મુખ્ય ચસિવ શ્રી જે.એન.સિંધ નિવૃત થઇ રહ્યા છે. તેમના અનુગામી તરીકે કેન્દ્રના ખાણ વિભાગમાં સચિવ તરીકે ડેપ્યુટેશન પર ફરજ બજાવતા શ્રી અનિલ મુકીમની નિમણૂક કરવામાં આવી છે તેઓ આવતીકાલે સાંજે ચાર્જ સંભાળનાર છે ભૂતકાળમાં શ્રી સુધીર માંકડ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા. તેમને ડેપ્યુટેશનની મુદત પુરી થતા થતા પૂર્વે પરત બોલાવીને મુખ્ય સચિવ બનાવાયેલા ત્યારબાદ આ પ્રકારની આ બીજી ઘટના છે.

શ્રી અનિલ મુકીમ ૧૯૮૫ની બેચના ગુજરાતના (અમદાવાદ) જ વતની સનદી અધિકાર છે. તેઓ ભાવનગર, વડોદરા અને કચ્છના કલેકટર, મુખ્યમંત્રીના અગુસચિવ, અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તેમજ નાણા, આરોગ્ય, મહેસુલ વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. વહીવટી ક્ષેત્રના બહોળા અનુભવી અધિકારી છે.

(11:42 am IST)