Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ઠાસરાના ચંદાસર નજીક સર્જાયેલ જુદા-જુદા બે માર્ગ અકસ્માતમાં એકનું મોત: 6 ઈજાગ્રસ્ત

ઠાસરા:તાલુકાના ચંદાસર તેમજ રાણીયા નજીક સર્જાયેલા જુદા-જુદા બે માર્ગ અકસ્માતોમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યાં હતાં. 

આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના બાધરપુરા-કોતરીયા રોડ પર આવેલ ખેતરમાં રહેતાં સંદિપભાઈ બળવંતભાઈ પરમાર ગત શનિવારના રોજ પોતાનું બાઈક નં જીજે ૦૭ સીપી ૦૦૯૫ લઈ ડાકોર-કપડવંજ રોડ પર આવેલ ચંદાસર ગામની સીમમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે તુલસી હોટલ નજીક માર્ગ પર પુરપાટ ઝડપે રોંગ સાઈડે આવતી મારૂતી ઝેન ગાડી નં જીજે ૦૧ એચઆર ૮૨૫૭ના ચાલકે સામેથી આવતાં સંદિપભાઈના બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક સંદિપભાઈ તેમજ બાઈક પર સવાર લ-મીબેન અને મેહુલભાઈ ઈજાગ્રસ્ત બન્યાં હતાં. આ બનાવ અંગે સંદિપભાઈ બળવંતભાઈ પરમારની ફરિયાદને આધારે ઠાસરા પોલીસે મારૂતી ઝેન ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:24 pm IST)