Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ચેતેશ્વરનો પરિવાર સાથે ફેમીલી ટાઇમ

ક્રિકેટ બોર્ડની નાગરિકોને સલાહ, પુજારા ફેમીલીની જેમ ઘરે રહો

નવી દિલ્હી : કોરોનાના કહેરને લીધે દરેક વ્યકિત આજે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. એવામાં ભારતીય ક્રિકેટ બોર્ડ પોતાના ટિવટર અકાઉન્ટ પર ચેતેશ્વર પુજારાના પરિવારની કેટલીક તસવીર અપલોડ કરી નાગરિકોને ઘરે રહેવાની અપીલ કરી છે. પુજારા ફેમિલીનો ફોટો અપલોડ કરી બીસીસીઆઇએ કહ્યું કે પુજારા ફેમિલી ઘરનાં કેટલાંક કામ અને મસ્તી કરી પોતાનો સમય ભેગા મળીને પસાર કરી રહી છે. પુજારા ફેમિલીની જેમ તમારા અંગત અને પ્રેમાળ લોકો સાથે ઘરે રહો. આ પહેલાં ચેતેશ્વર પુજારાએ કહ્યું હતું ક,ે મારા માટે આ ફેરફાર નવો છે. એકલો હોઉં ત્યારે પુસ્તક વાંચીને કે ટીવી જોઈને હું મારો સમય વિતાવું છું અને મારી નાની દીકરી ઘણી એન્જેટિક છે અને તે આખો દિવસ રમતી હોય છે એટલે તેને સંભાળવામાં મારો અડધો દિવસ વીતી જાય છે. મારી પત્ની પૂજાને પણ હું ઘરકામમાં મદદ કરૂ છું.

(4:19 pm IST)