Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પાટડીના ઝિઝુવાડામાં રોગચાળો વકર્યો : ૩૦૦ કેસ

એકજ દિવસમાં તાવ, શરદી, ઉધરસ, ઉલટીના કેસમાં વધારો

વઢવાણ તા ૨૨  :  પાટડી તાલુકાના ઝઝુવાડ ગામના પી.એમ.સી. કેન્દ્રમાં ઝિઝુવાડા ગામના લોકો ઘરે ઘરે માંદગીનો શિકાર બનતા એકજ દિવસમાં ૩૦૦ જેટલા દર્દીઓની નોંધપાત્ર સંખ્યા નોધાવા પામતા આરોગ્ય તંત્રમાં ભારે ફફાડાટ સાથે દોડધામ મચી જવા પામેલ છે. ત્યારે ઝિઝુવાડા પી.એમ.સી. કેન્દ્રમાં દર્દીઓની સારવાર આપવા માટે ખાટલા પણ ખુટયા છે અને સરકારી દવાનો સ્ટોક પણ ખુટયો હોવાનું જાણવા મળી રહયું છે

ઝિઝુવાડા ગામમાં હાલ તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલ્ટીના એકજ દિવસમાં ૩૦૦ જેટલા કેસો નોંધાતા ભારે અફડાતફડીનો માહોલ

(1:12 pm IST)