Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પોરબંદરના સાનિધ્યની શ્રી હરિ મંદિરે પૂ. રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં જન્માષ્ટમી પર્વઃ નંદોત્સવ સહિત કાર્યક્રમો

જૂનાગઢ, તા. ૨૨ :. પોરબંદરના સાન્દીપની વિદ્યા નિકેતન હરિમંદિર ખાતે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થનાર છે.

જન્માષ્ટમી ઉજવણીમાં તા. ૨૪ને શનિવારના રોજ જન્માષ્ટમી ઉત્સવ નિમિતે સવારે મંગલા આરતી બાદ શ્રી હરિ ભગવાનને સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી તિલકવિધિ કરવામાં આવશે અને શયન આરતી બાદ રાત્રે ૧૦.૩૦ થી ૧૧.૩૦ વાગ્યે સંકિર્તન કરવામાં આવશે તેમજ ૧૧.૩૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી શ્રીમદ્ ભાગવતજીનો પાઠ કરવામાં આવશે અને ત્યાર બાદ રાત્રીના ૧૨ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે અને ૧૨.૩૦ કલાકે આરતી કરવામાં આવશે અને તા. ૨૫ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી નંદોત્સવ ઉજવવામાં આવશે. મહોત્સવનો લાભ લેવા સૌ હરિભકતોને જાહેર નિમંત્રણ એક યાદીમાં પાઠવવામાં આવ્યુ છે.(૨-૧૬)

(1:10 pm IST)