Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ધોરાજી-જામકંડોરણામાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાના સ્મરણાર્થે વિનામુલ્યે મિઠાઇ-ફરસાણનું વિતરણ

ધોરાજીઃ જન્માષ્ટમીના તહેવાર નીમીતે જામકંડોરણા કન્યા છાત્રાલય ખાતે આજે સવારે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે મીઠાઇ- ફરસાણનું વિતરણ કરાયું આ તકે ગોવિંદભાઇ રાણપરીયા, લલીતભાઇ રાદડીયા, ચેતનાબેન રાદડીયા, વિઠ્ઠલભાઇ બોદર, ચંદુભા ચૌહાણ, કરણસિંહ જાડેજા, ખીમજીભાઇ બગડા, પ્રદીપસિંહ જાડેજા તેમજ તાલુકાના ગ્રામ્ય કક્ષાના અગ્રણીઓ સરપંચો સહીતના હાજર રહેલ હતા. આ તકે એક વૃદ્ધાએ મીઠાઇ ફરસાણ અપાયા બાદ શુભ આસીસ આપેલ હતી. સફળ બનાવી ખોડલધામ સમીતી મહીલા સમિતી તેમજ તાલુકાના યુવાનાઓ જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ અહેવાલ-કિશોર રાઠોડ-ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(11:35 am IST)