Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મોટી કુંકાવાવના શ્રી નિલકંઠ મહાદેવ મંદિરે ઉમટતા ભાવિકો

કુંકાવાવ મોટી : અમરેલી જીલ્લાના કુકાવાવ મોટીના મુખ્ય માર્ગ પર આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિર કે જે એ ગામનું એક આધ્યાત્મિક ધામ સમાન મહાદેવનું અતિ પ્રાચીન મંદિર છે ત્યાં હાલ શ્રી હસમુખરાય દયાશંકર દવે (ગુરૂજી) છેલ્લા ઘણા વર્ષોથી સેવાભાવથી ઓતપ્રોત થઇ પૂજા અર્ચન તેમજ તમામ પ્રકારની મહાદેવને સંપુર્ણ સમર્પીત થઇ મહાદેવને અતિ પ્રિય એવા ત્યાગભાવથી સેવા કરે છે. અહી ભાવિકો દરરોજ મોટી સંખ્યામાં આવે છે અને પૂજન અર્ચનનો લાભ લે છે જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:20 am IST)