Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કેશોદના મધરવાડાના એક જ પરિવારની બે સગીર પુત્રીનું બદઇરાદે અપહરણ

બે પાડોશી શખ્‍સો ભગાડી ગયાની ફરીયાદ

જુનાગઢ, તા. ૧૮ : કેશોદના મધરવાડાના એક જ પરિવારની બે સગીર પુત્રીનું બે પાડોશી શખ્‍સો બદઇરાદે અપહરણ કરી ગયા હોવાની પોલીસ ફરીયાદ થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, કેશોદ તાલુકાના મધરવાડા ગામે રહેતા અને મૂળ યુપીના એક પરિવારની બે સગીર દિકરી અને દિકરો તા. ૧૪ના રોજ ઘરે એકલા હતાં અને તેમની માતા દવા લેવા માટે કેશોદ ગઇ હતી.

ત્‍યારે આ તકનો લાભ લઇ બાજુમાં રહેતો પ્રફુલ ઉર્ફે પપ્‍પુ પથાભાઇ દેવીભૂજક અને પ્રહલાદ પરચાભાઇ દેવીપૂજક નામના શખ્‍સો લાકડા લેવાના બહાને બંને સગીર દિકરીને લલચાવી ફોસલાવીને ભગાડી જઇ અપહરણ કરી ગયા હતાં.

કેશોદથી પરત આવેલી બાળકોની માતાને જાણ થતાં તેમણે આ ગઇકાલે સાંજે ફરીયાદ કરતા કેશોદ પોલીસે કલમ ૩૬૩, ૩૬૬ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી.આઇ. ડી.જે. ઝાલા ચલાવી રહ્યા છે.

(11:36 am IST)