Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

જામનગરમાં ડેંગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જયારે ગ્રામ્ય પંથકમાં કેસો વધતા જાય છે

જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો યોજાયા

જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના કર્મચારીએ ઘેર-ઘેર ફરીને લોકજાગૃતિનો સંદેશ ફેલાવતા નજરે પડે છે(તસ્વીરઃ કિંજલ કારસારીયા)

 જામનગર, તા.૧૪: જામનગર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. અને કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. તેવામાં પાણીજન્ય રોગચાળો ગણાતો ડેંગ્યુનો રોગચાળો શહેરમાંઙ્ગ ફરી માથું ઊંચકી રહ્યો છે જયારે ગ્રામ્ય વિસ્તારમાં હાલ પણ ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે.

જામનગર જિલ્લાની સરકારી જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૪૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. ગઈકાલની સ્થિતિએ ૫૮ થી ૬૦ દર્દીઓ ડેંગ્યુ પોઝિટિવના સારવાર હેઠળ છે. જયારે ૩૦ દર્દીઓને ડેંગ્યુની સારવાર આપી રજા આપવામાં આવી છે.સરકારી હોસ્પિટલ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડેંગ્યુના કેટલાક કેસો સામે આવ્યા છે. અને ખાનગી હોસ્પિટલ-દવાખાનાઓમાં પણ ડેંગ્યુના કેટલાક કેસો સામે આવી રહ્યા છે. જામનગરના શહેર વિસ્તારમાં હાલ ડેંગ્યુના કેસો ઘટી રહ્યા છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં ડેંગ્યુની અસર જોવા મળી રહી છે.

જામનગર જિલ્લામાં વધી રહેલા ડેંગ્યુના કેસોને લઈને આરોગ્ય વિભાગ દ્વારા જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિ કેળવવા માટે ખુલ્લામાં ભરાયેલા પાણીમાં ઓઇલ નાખવા અને દવા છટકાવ કરવાની કામગીરી આરંભાઈ છે.જામનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા શેરી મહોલ્લાઓમાં ઘેર-ઘેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ જઈ રહ્યા છે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હાલમાં ડેન્ગ્યુના મચ્છરોના ઉપદ્રવ અંગે ચેકીંગ કરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

(12:52 pm IST)