Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મુંબઇ દીવ વેરાવળ પોરબંદર ઓખા પેસેન્જર કમ કાર્ગો ક્રુઝનો ર માસમાં પ્રારંભ થાય તેવી સંભાવના

પોરબંદર, તા., ૧૪: પોરબંદરના વર્ષો જુના જળ માર્ગ રૂટ ઉપર મુંબઇથી દીવ વેરાવળ પોરબંદર ઓાખા પેસેન્જર કમ કાર્ગો ક્રુઝ સેુવાનો  ર માસમાં પ્રારંભ થઇ જાય તેવી સંભાવના છે.

પોરબંદર મુંબઇ ઓખા જળ માર્ગ ઉપર વર્ષો પહેલા કાર્ગો કમ પેસેન્જર સ્ટીમર સેવા ચાલી હતી જેની અઠવાડીયાએ એક સર્વિસ ચાલતી હતી.

સંધ્યાન સ્ટીમ નેવીકેશન  દ્વારા આ સર્વિસ ચાલતી હતી. વેપારીઓ મુંબઇથી આ કાર્ગોમાં માલ મંગાવતા હતા તે પહેલા આફ્રિકા મુંબઇ પોરબંદર સ્ટીમર સેવા બ્રીટીશ ઇન્ડીયા સ્ટીમ નેવીગેશન દ્વારા ચાલતી હતી.

જેમાં એસ.એસ.મોમ્બાસા અને ખંડાલા કપલા એમ ર સ્ટીમર ચાલતી હતી.

એક સમયે પાકિસ્તાન દ્વારા એસ.એસ.સફીના નામની સ્ટીમર પાકિસ્તાનથી મુંબઇ પોરબંદર અને અરબસ્તાન વચ્ચે ચાલતી હતી જે સેવા ૧૯૮૬ પછી બંધ થઇ હતી.

(11:53 am IST)